યોગિની એકાદશી (જેઠ વદ-૧૧)

યુધિષ્ઠિર. પૂછયું : “વાસુદેવ ! જેઠના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે. ? એનું વર્ણન કરો.
શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ 
નૃપશ્રેષ્‍ઠ ! જેઠના કૃષ્‍ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. એ મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડુબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે.
અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં તત્‍પર રહેનારા છે. એમનો હેમમાલી નામનો એક યક્ષ્‍ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલીની પત્‍નીનું વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાશમાં બંધાઇને સદાય પોતાની પત્‍નીના આશકત રહેતો હતો. એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્‍નીના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્‍યતીત થઇ ગયો તો યક્ષરાજે કુપિત થઇને સેવકોને કહ્યું 
યક્ષો ! દુરાત્‍મા હેમમાલી કેમ આવ્‍યો નથી ? ”
યક્ષોએ કહ્યું 
: “રાજન ! એ તો પત્‍નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે. વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્‍યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને કુબેર બોલ્‍યા. ઓ પાપી ! અરે દુષ્‍ટ ! ઓ દુરાચારી ! તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ સ્‍થાનથી ભષ્‍ટ થઇ બીજે ચાલ્‍યો જા.
કુબેરના એમ કહેવાથી એ સ્‍થાનેથી એનું પતન થયું. કોડથી આખુ શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની સ્‍મરણ શકિત લુપ્‍ત ન થઇ. ત્‍યાર પછી એ મેરુગિરીના શિખર પર ગયો. ત્‍યા મુનિ માર્કન્‍ડેયજીના એને દર્શન થયાં. પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કન્‍ડેયજીએ એને ભયથી કાંપતો જોઇને પૂછયું. 
તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો ?
યક્ષ બોલ્‍યોઃ 
મુને ! હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો. એક દિવસ પત્‍ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ જ રહ્યું આથી રાજા કુબેરે કુપિત થઇને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્‍નીથી વિખુટો પડી ગયો. હે મુનિવર ! સંતોનું ચિત્ત સ્‍વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવયનો ઉપદેશ આપો.
માર્કંડેયજીએ કહ્યું 
: તે ાસચી વાત કહી છે. આથી હું તને કલાયણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તુ જેઠ માસની કૃષ્‍ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.
ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ 
રાજન ! માકંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આવ્રતનું અનુષ્‍ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.
રાજન ! આ વ્રત એટલું શ્રેષ્‍ડ છે કે અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે, એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્‍યને મળે છે. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્‍ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.